મોરારી બાપુ નું સુંદર વાક્ય
▪તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે.
▪દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે,
બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે....
▪લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે.
પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે...
▪વ્યર્થ બોલવા કરતા
મૌન રહેવું એ,
વાણીની પ્રથમ વિશેષતા છે...
▪હસતો ચેહરો અને રોતી આંખો જીવનની વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે
▪ગમો અણગમો એ તો આપણા મનનો છે.
બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે.
▪જયારે લખાણ ના 'વખાણ' થાય...ત્યારે,સમજવું કે-શબ્દો 'આંખ' થકી...'દીલ' સુધી પહોંચ્યા છે
▪માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતુ ...
ઘર માં રહેનાર માં ભેજ હોવો જોઇએ.
▪જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ.
જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો.
▪મતલબ બહુ વજનદાર છે વ્હાલાં
નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે
▪જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ,
હું ઊઠી જાઉં છું, રમતો નથી.
▪મેં કોઈની પરવાહ કરી જ નથી એટલે જ આટલો મસ્ત છું,..
કેમ કે પરવાહ કરવાવાળા જ બહુ દુઃખી થાય છે
▪જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે
જેના માટે લોકો કહેતા હતા "આ કામ તું નહિ કરી શકે "
▪સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી,
એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !!
▪તમે કેટલા ધનવાન છો તે જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો,
જે ધનથી ખરીદી નથી શકાતી અને તમારી પાસે છે !!
▪કામ કરવાવાળાની કદર કરો,
કાન ભરવાવાળાની નહીં.
▪દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે,
ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!
▪માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં !??
પણ,
ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિં !??
▪પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય,
એ જ જગતનો સૌથી સુખી માણસ છે...
▪"સુંદરતા મનની રાખજો સાહેબ"
"ફેસવોશથી મોઢા ચમકે છે દિલ નહી"
🥀ॐ નમ:શિવાય 🥀