મોરારી બાપુ નું સુંદર વાક્ય | Morari Bapu Gujarati shayari


મોરારી બાપુ નું સુંદર વાક્ય



▪તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે.

▪દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે,
બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે....
    
▪લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે.
પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે...

▪વ્યર્થ બોલવા કરતા
મૌન રહેવું એ,
વાણીની પ્રથમ વિશેષતા છે...

▪હસતો ચેહરો અને રોતી આંખો જીવનની  વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે
          
▪ગમો અણગમો એ તો આપણા મનનો છે.
બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે.

▪જયારે લખાણ ના 'વખાણ' થાય...ત્યારે,સમજવું કે-શબ્દો 'આંખ' થકી...'દીલ' સુધી પહોંચ્યા છે

▪માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતુ ...
ઘર માં રહેનાર માં ભેજ હોવો જોઇએ.

▪જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ.
જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો.

▪મતલબ બહુ વજનદાર છે વ્હાલાં
નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે 

▪જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ,
હું ઊઠી જાઉં છું, રમતો નથી.

▪મેં કોઈની પરવાહ કરી જ નથી એટલે જ આટલો મસ્ત છું,..
કેમ કે પરવાહ કરવાવાળા જ બહુ દુઃખી થાય છે

▪જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે 
જેના માટે લોકો કહેતા હતા "આ કામ તું નહિ કરી શકે "

▪સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી,
એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !!

▪તમે કેટલા ધનવાન છો તે જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો,
જે ધનથી ખરીદી નથી શકાતી અને તમારી પાસે છે !!

▪કામ કરવાવાળાની કદર કરો,
કાન ભરવાવાળાની નહીં.

▪દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે, 
ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!

▪માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં !??
પણ,
ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિં !??

▪પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય,
એ જ જગતનો સૌથી સુખી માણસ છે...

▪"સુંદરતા મનની રાખજો સાહેબ"

"ફેસવોશથી મોઢા ચમકે  છે દિલ નહી"

         🥀ॐ નમ:શિવાય 🥀


Gujarati shayari

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.